રાજકોટઃ અમરેલીના સાવરકુંડલામાં ઓખીના વાવાઝોડાના પગલે ખેતીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. સાવરકુંડલા સહિત ખાંભા-રાજુલામાં વરસાદના પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. કપાસ શેરડી ચણા ઘઉં સહિત ઘાસચારાને મોટાપ્રમાણમાં નુકસાન થયું છે.
ખેતરોમાં ઉભો પાક પલળી જતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં સાચવેલો જુવારનો ચારો પલળી જતાં પશુઓને આવનાર દિવસોમાં ભારે તકલીફનો સામનો કરવો પડશે.
ઓખીના કારણે સમગ્ર જગ્યાઓ પર કમોસમી વરસાદ પડ્યો હતો. હજુ અમુક વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. ત્યારે સાવરકુંડલા સહીત ખાંભા રાજુલાના ગામોમાં આ વરસાદની વધુ અસર જોવા મળી રહી છે.
હાલ પાછોતર પાક કપાસને ખુબ નુકશાન થવા પામ્યું છે. અહીં ખેતરમાં ઉભેલો કપાસનો પાક પલળી જતા ખેડૂતને પડ્યા પર પાટું છે. જેમાં કપાસ સહીત ઘાસ ચારાને મોટા પ્રમાણમાં નુકસાની થવા પામી છે.
અહીં કપાસ શેરડી અને મૂંગા પશુનો ઘાસ ચારો જારનો પાક ખેતરોમાં ઉભો હતો. જે પાક પલળી જતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ ચણા-ઘઉંનો પાક પણ વાવેલો છે. પરંતુ તે હજુ વાવેલો હોવાથી તેમાં ઓછી નુકશાની છે. પરંતુ પાછોતર કપાસ શેરડી અને જુવાર બાજરાના ઉભા પાકને ખાસ નુકશાન થયું છે.
જેમાં કપાસ નો ભાવ પણ ઓછો છે ત્યારે કપાસનો તૈયાર પાક પલળી જવા પામ્યો હતો. તેમાં ખાસ કરી ખેડૂતોએ મૂંગા ઢોર માટે ખેતરોમાં સાચવેલો જુવારનો ચારો પણ પલળી જતા મૂંગા માલ ઢોરને પણ હવે તકલીફ પડે તેવું આવનારા દિવસોમાં લાગી રહ્યું છે.