લખનૌઃ તાજમહેલ વિવાદનો અંત લાવવાનો યોગી સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. સંગીત સોમના તાજમહલ પરના નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું. ત્યારે ધનતેરસના અવસર પર યૂપી સરકારે હેરિટેજ કેલેન્ડર વર્ષ 2018 માટે જારી કર્યું છે. આ કેલેન્ડરમાં તાજમહલને જુલાઇ મહિનાના પેજ પર સામેલ કરવામાં આવ્યો છે. આ પેજ પર કેલેન્ડરમાં તાજની ફોટો સાથે પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીરને સામેલ કરવામાં આવી છે.
આ કેલેન્ડરમાં ભાજપના નારો 'સૌનો સાથ સૌનો વિકાસ' લખ્યું છે. આ પહેલા યૂપીના પર્યટન મંત્રાલય વિભાગથી રજૂ કરાયેલ બુકલેટમાં તાજમહેલને જગ્યા નહોતી મળી. પરંતુ આ વખતે હેરિટેડ કેલેન્ડરમાં તાજમહેલને પર્યટન સ્થળના રૂપે સામેલ કરવામાં આવ્યો છે. સાથે જ ગોરખપુરના ગોરખનાથ મંદિરને પણ સામેલ કરવામાં આવ્યું છે.