ગુજરાત હજુ સ્વાઇનફલુના લીધે ખુબ પરેશાન છે ત્યારે બોટાદ શહેરનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યા હતો. બોટાદની એક મહિલાને સ્વાઇનફલુ જાહેર થતા તેને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી ત્યારે સારવાર દરમિયાન આજે તેનું મોત થતા સ્વાઈનફ્લુએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો.
બોટાદમાં સ્વાઇન ફલૂના કારણે એક મહિલાનું થયુંમોતથયુ હતુ.ગઢડા તાલુકાના મોટા સખપર ગામની મહિલાનું સ્વાઇન ફલૂના રોગના લીધે મોત થયું છે. ભાવનગરમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મહત્વપૂર્ણ છે કેબોટાદમાં સ્વાઇન ફલૂના કારણે મોતનો આંકડો 4 સુધી પહોંચ્યો છે.
મૃતક મહિલા ગઢડા ગામના મોટા સખપર ગામની હોવાનુ જાણવા મળ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પણ સ્વાઇનફલુને અટકાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તેમ છતાં કોઇ ચોક્કસ પરીણામ આવ્યુ નથી.