મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ હાલમાં અમેરિકાના પ્રવાસે છે રોકાણકારોને મળ્યા બાદ બુધવારે શિવરાજ ન્યૂજર્સી સ્થિત સ્વામી નારાયણ મંદિર પહોંચ્યા. જણાવી દઇએ કે ન્યૂજર્સીના રોબિંસવિલેમાં સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયનું આ મંદિર ભારતની બહાર પહેલું સૌથી મોટું મંદિર છે. મંદિરનું નિર્માણ બોચાસનવાસી અક્ષર પુરષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાએ કરાવ્યું હતું. ન્યૂજર્સીના રોબિંસવિલમાં લગભગ એક હજાર કરોડ રૂપિયાના ખર્ચેથી બનેલું અક્ષરધામ મંદિર ક્ષેત્રફળના હિસાબથી સૌથી મોટું હિંદુ મંદિર છે. હાલમાં સૌથી મોટું મંદિર તમિલનાડુના શ્રીરંગમાં 156 એકડમાં બનેલું શ્રી રંગનાથ સ્લામી મંદિર છે.
આ મંદિર 134 ફુટ લાંબુ અને 87 ફુટ પહોળું છે. એમાં 108 સ્થંભ અને 3 ગર્ભગૃહ છે. અક્ષરધામ મંદિર અમેરિકાના ઘણા શહેરોમાં બનેલું છે. એટલાન્ટા. હ્યૂસ્ટન શિકાગો લોસ એન્જલેસ સહિત કેનેડાના ટોરંન્ટોમાં પણ મંદિર છે. એની મૂળ સંસ્થા BSP દ્વારા ગાંધી નગર ગુજરાત અને દિલ્હીના યમુના તટ પર બનેલું મંદિર વિશાળ છે. ગાંધીનગરનું મંદિર 23 એકર અને દિલ્હીનું 60 એકરમાં બનેલું છે. પરંતુ રાબિંસવિલનું મંદિર વિશ્વના કોઇ મંદિરથી વધારે મોટું નથી.
આ મંદિરમાં 68 હજાર ક્યુબિક ફીટ ઇટાલિયન કરાર માર્બલનો ઉપયોગ થયો છે. મંદિરની કલાત્મક ડિઝાઇન માટે 13 499 પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પથ્થરોની કોતરણીનું પૂરું કામ ભારતમાં કરવામાં આવ્યું છે. નકશીનું કામ પૂર્ણ થઇ ગયા બાદ એને દરિયાના રસ્તાથી ન્યૂજર્સી પહોંચાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મંદિરના ઇન્ટીરિયર ઉપરાંત પણ આઉટર પણ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે આ મંદિર 1000 વર્ષ સુધી એમ જ ઊભું રહેશે.