જૂનાગઢના મેંદરડાના સ્વામિનારાયણ ગુરુકુળના સંત પર જાનલેવા હુમલો થયો છે.મળતી માહિતી પ્રમાણે સંત ભકિત પ્રસાદ મોટા કોટડા ગામેથી ભાજપનો પ્રચાર કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન મેંદરડાના નવાણિયા-પીપળિયા રોડ પર કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.
જેમાં સંત ભકિતપ્રસાદ ગંભીર રીતે ઘાયલ થયા છે. જોકે ઘટના સ્થળ પર પહોંચેલા ભાજપના કાર્યકરો સંત ભકિતપ્રસાદને તાત્કાલીક અસરથી સારવારઅર્થે હોસ્પિટલ પહોંચાડયા હતા. હાલ સંત ભકિત પ્રસાદ સારવાર હેઠળ છે.