ખેડાઃ વડતાલના સાધુ સ્વામી ધર્મતનયદાસની ઘાતકી હત્યા થતાં હરિભક્તોમાં શોકની લાગણી સાથે રોષ વ્યાપ્યો છે. સાધુ ધર્મતનયદાસનો મૃતદેહ સંત નિવાસસ્થાનમાંથી મળ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સે છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં તેમનું મોત થયું હતું.
ચકલાસી પોલીસે ઘટનાસ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી હતી. હત્યાનો આ કેસ ઉકેલવા FSLના અધિકારીઓની મદદ પણ લેવાઇ છે. સાથે જ જે બાથરૂમમાંથી મૃતદેહ મળ્યો હતો ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જોવું રહેશે કે સ્વામીની હત્યાના આરોપી કયારે ઝડપાશે.
ખેડા જિલ્લા વડતાલના સંત નિવાસમાં 50 વર્ષીય આશરાની ઉંમર ધરાવતા ધર્મતનયદાસ સ્વામીની શરીરના છાતીના ભાગમાં તીક્ષણ હથિયારથી હુમલો કરી મોત નીપજાવાની ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ ચકલાસી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્વામીની હત્યાની કરી હોવાની શંકા પોલીસ સેવી રહી છે અને તપાસ હાથ ધરી છે.
વડતાલ સંત નિવાસમાં ધર્મતનય સ્વામીની હત્યાની જાણ થતા ચકલાસી પોલીસ તેમજ નડીઆદ રેન્જના ડીવાયએસપી સહીતના ઉચ્ચ અધકારી ઓનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.એફએસએલના અધિકારી ઓ સ્વામીની જે મકાનના બાથરૂમમાંથી લાશ મળી હતી ત્યાં તપાસ હાથ ધરી છે.
જોકે હાલ સમગ્ર ઘટના અંગે પોલીસ કાઈ કહેવા તૈયાર નથી. સમગ્ર ઘટનાની તાપસ થાય ત્યારબાદ જ સત્ય બહાર આવશે તેવું પોલીસ જણાવી રહી છે.