અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની મુંબઇ સ્થિત હોટલ તોડીને ત્યાં ટોયલેટ બનાવવામા આવશે. આ દાવો હિંદૂ નેતા સ્વામી ચક્રપાણિ દ્વારા કરવામાં આવ્યો છે. 14 નવેમ્બરે દાઉદની ભારતમાં રહેલી પાંચ સંપતિની હરાજી કરવામાં આવશે. સ્વામી ચક્રપાણિનું કહેવું છે કે તેઓ દાઉદની હોટલ રોનક ઓફરો જેને દિલ્લી જાયકા પણ કહેવામાં આવે છે. તેને ખરીદવાના છે અને ત્યાં તેઓ એક પબ્લિક ટોયલેટ બનાવવાના છે.
સ્વામીએ કહ્યું કે દાઉદ સાથે તેમને કોઇ દુશ્મની નથી પરંતુ તેઓ દાઉદના ડરનો અંત લાવવા માગે છે. ચક્રપાણી પ્રમાણે ભારત સરકારે દાઉદ માટે લોકોની સામે વધારીને તથ્યો રાખવા જેનાથી બધા ડરી ગયા. ચક્રપાણીએ કહ્યું કે એ દાઉદની હોટલને ખરીદીને લોકોનો ડર ખતમ કરવા માંગે છે.
આ પહેલા ચક્રપાણીએ 2015માં થઇ એક હરાજીમાં દાઉદની ગાડી ખરીદીને એને બધાની સામે આગ લગાડી દીધી હતી. બાદમાં ચક્રપાણીએ એવું પણ કહ્યું કે એમને દાઉદ તરફથી દણકીઓ મળી હતી. જણાવી દઇએ કે કેન્દ્ર સરકારએ બે વર્ષ પહેલા દાઉદની પ્રોપર્ટી વેચવાનો પ્રયત્ન કર્યો હતો.