રાજકોટ: બે વર્ષ પહેલા હાહાકાર મચાવનાર રાજકોટની સાધુવાસવાણી હોસ્પિટલમાં થયેલા અંધાપાકાંડ મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અંધાપાકાંડના આરોપી ડો.હેતલ બખાઈની ધરપકડ કરવામાં આવી છે.
આ સાથેજ પોલીસે અન્ય 3 આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. જેમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ આરોપીઓ સામે કલમ 337 338 અને 114 મુજબનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે રાજકોટના જંક્શન પ્લોટમાં આવેલી સાધુ વાસવાણી હોસ્પિટલમાં બે વર્ષ પહેલા 12 જેટલા દર્દીઓએ મોતીયાના ઓપરેશન બાદ દ્રષ્ટિ ઝાંખી પડી ગયા હોવાની અને એક આંખે દેખાતું બંધ થઇ ગયાની ફરીયાદ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. સાધુવાસવાણી હોસ્પિટલમાં ગત તારીખ 21 ડિસેમ્બર 2015ના રોજ કુવવ 25 દર્દીઓના મોતીયાના ઓપરેશન કરવામાં આવ્યા હતાં. જેમાંથી 12 દર્દીઓની આંખમાં તકલીફ ઊભી થઇ હતી. અને એમાંથી પણ 7 દર્દીએ કાયમ માટે આંખ ગુમાવી દીધી હતી.