નવી દિલ્હી: વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા છે. સુષ્માએ પાકિસ્તાન પર શક્તિ પ્રહાર કરતાં કહ્યું કે પાકિસ્તાનની ઓળખ આતંકવાદી દેશના રૂપમાં છે. સુષ્માએ પાકિસ્તાન પર પ્રહાર કરતાં કહ્યું કે પાકિસ્તાન અને ભારત અને પાકિસ્તાન એક સાથે આઝાદ થયા હતા પરંતુ અમે દેશમાં એમ્સ આઇઆઇએમ જેવી સંસ્થાઓ બનાવી પરંતુ પાકિસ્તાને વશ્કર જેશ જેના આતંકી સંગઠન બનાવ્યા છે. પાકિસ્તાને ઘણા આતંકી કેમ્પ બનાવ્યા છે.
તો બીજી બાજુ સુષ્માએ એવું પણ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીનો ગઢ છે પરંતુ હવે પાકિસ્તાન ભારતને માણસાઇ શિખવાડી રહ્યું છે. ભારત આતંકવાદનો સૌથી જૂનો શિકાર છે. પાકિસ્તાન અમારી સાથે લડી રહ્યું છે અને આતંકીઓ ઉપર પૈસા ખર્ચ કરે છે. સુષ્માએ કહ્યું કે ભારતે વૈજ્ઞાનિકો પેદા કર્યા છે પરંતુ પાકિસ્તાને જેહાદી પેદા કર્યા છે.
પાકિસ્તાન પર પ્રહાર કરતાં સુષ્માએ કહ્યું કે પૂરી દુનિયા માટે 'सर्वे भवंतु सुखिन:' વાળી પણ વાત કહી છે. એમણે કહ્યું કે અમે પ્રકૃતિની શાંતિની કામના કરીએ છીએ. આ દરમિયાન સુષ્મા સ્વરાજએ ઘણી અન્ય વાતો પર પણ ચર્ચા કરી છે. એમણે કહ્યું કે યૂએનમાં પહેલી વખત થયું કે પાકિસ્તાનના ભાષણ બાદ કોઇ પણ દેશને ત્રણ ત્રણ દેશોનો જવાબ આપવો પડે. ચીન પર પણ અપ્રત્યક્ષ રૂપથી નિશાન સાંધતા સુષ્માએ કહ્યું કે આતંકવાદ પર કાર્ય કરવાની કસમ માત્ર એક રસમ બની ગઇ છે.