સુરેદ્રનગરના ધાંગધ્રા માલવણ હાઈવે પાસે આવેલ ધ્રુમઠ ચોકડી પાસે અક્સામત સર્જાયો. મોરબીના સિરામીક ઉદ્યોગપતિની કારને અકસ્માત નડયો છે.
હાઈવે પાસે કારનુ ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. અક્સ્માત સર્જાતા 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે 3 લોકોને ઈજા પહોંચી હતી.
ત્યાર બાદ સ્થાનિકો દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકોની ડેડબોડીને પીએમ માટે ખસેડવામાં આવ્યુ. પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે મોરબીના ઉદ્યોગપતિ હાઇ-વે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક તેમની ગાડીનું ટાયર ફાટતા એકાએક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે કાર નજીકના ખાડામાં ઉંધી વળી ગઇ હતી.
કારમાં ટાયર ફાટવાને કારણે ઉંધી વળી જતાં ઘટના સ્થળે જ 2 લોકોના મોત થયા હતા અને 3 લોકોને ગંભીર ઇજાઓ થતાં તેમને 108 ના માધ્યમથી નજીકના દવાખાને પ્રાથમિક સારવાર અર્થે લઇ જવાયા હતા.
આ ઘટનાને પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને લોકોના ટોળે-ટોળા પણ આ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.