સુરેન્દ્રનગરમાં કાર અને પેસેન્જર રીક્ષા વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.વઢવાણ કોઠારીયા રોડ પાસે આ અકસ્માત થયો છે.અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
ઉલ્લેખનીય છે કે આ અકસ્માતની ઘટનાને પગલે ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો.અને 2 લોકોના મોત થતા તેમને પોસ્ટ મોર્ટમ માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જો કે આ ઘટનામાં કોના મોત થયા જે હજી સુધી જાણવા મળ્યું નથી.