સુરેન્દ્રનગરમાં ટેમ્પો પલટી ખાતા ઘટનાસ્થળે 3 લોકોના મોત અને 10 લોકોની ઇજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામ પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રણમાં ટેમ્પો પલટી ખાતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 10 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજા પામેલ વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં મળતી માહિતી અનુસાર ડ્રાઇવરને બેદરકારીને કારણે ટેમ્પામાં કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.