સુરતમાં બિલ્ડર વજુભાઈ પટેલના ઘરે લોકોએ હોબાળો મચાવ્યો હતો .બિલ્ડરે પાસોદરાની સ્કીમમાં કામ પૂર્ણ ન કરતાં લોકો રોષે ભરાયા હતા. બિલ્ડર દ્વારા પ્લોટિંગ કર્યા બાદ કામ પૂર્ણ ન કરતાં સૌરાષ્ટ્ર રેસિડેન્સીના 70થી વધુ લોકોએ બિલ્ડરોના ઘરે જઈને હોબાળો મચાવી દીધો.
તો ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસની ટીમ દોડી આવી હતી અને હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ કાબૂમાં લીધી હતી.
સુરતમાં બિલ્ડર વજુભાઈ પટેલને ઘરે ગત રાત્રે હોબાળો
પાસોદરાની સ્કીમમાં કામ પૂર્ણ ન કરતાં લોકોમાં રોષ
પ્લોટિંગ કર્યા બાદ કામ પૂર્ણ ન કરતાં મચાવ્યો હોબાળો
70થી વધુ લોકોએ બિલ્ડરના ઘર બહાર કર્યો હંગામો
સૌરાષ્ટ્ર રેસિડેન્સીના લોકોએ મચાવ્યો ભારે હોબાળો
કાપોદ્રા પોલીસે હળવો લાઠીચાર્જ કરી સ્થિતિ પર મેળવ્યો કાબૂ