સુરતમાં સિક્યોર લાઈફ ગ્રૂપ ઓફ કંપની દ્વારા છેતરપિંડી આચરાયાની ઘટના પ્રકાશમાં આવી છે.કંપનીના સંચાલકોએ ઉંચા વ્યાજની લાલચ આપીને ગ્રાહકો પાસેથી ખૂબ મોટી રકમ પડાવી લીધી હતી.
આ કંપની દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બ્રાંચો ખોલીને કંપનીના સંચાલકોએ ગ્રાહકો પાસેથી રૂ.10 કરોડની ઠગાઈ આચરી હતી.આ બાબતે એક મહિલા સહિત કંપનીના ડાયરેક્ટર બ્રાંચ મેનેજર સામે અમરોલી પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની મળતી વિગત પ્રમાણે સુરતના અમરોલી માન સરોવર સર્કલ પાસે શ્રીપાલ નગર સોસાયટીમાં સિકયોર લાઈફ ગ્રુપ ઓફ કંપનીઝ અને સિકયોર લાઈફ કેપીટલ નામની બ્રાન્ચ ખોલીને એજન્ટો દ્વારા કંપનીની અલગ- અલગ સ્કીમો બનાવી તેમાં રોકાણ કરવાથી ઊંચા વ્યાજની લાલચ આપતા કેટલાય લોકોએ તેમાં રોકાણ કરતા આશરે 10 કરોડ લઇને કંપની અચાનક ગુમ થઇ જતાં રોકાણકારો પરેશાન થઇ ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.