સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીના કાર્યાલય પર થયેલા હુમલાને લઇને કુમાર કાનાણીએ નિવેદન આપ્યું છે.કાનાણીએ કહ્યું છે કે જો કાર્યાલય પર કોઇ હુમલો કરશે તો સાંખી નહીં લેવાય ને હુમલાનો જવાબ હુમલો કરીને અપાશે.
આ સાથે જ તેમણે આ હુમલા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. આ હુમલામાં ભાજપનો એક કાર્યકર્તાઓને ઇજા પહોંચી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ-તેમ અનેક પક્ષ દ્વારા મતદારોને રીઝવવામાંટે ખાસ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ક્યારેક પ્રચાર-પ્રસાર દરમિયાન કેટલાક પક્ષો વચ્ચે સામાન્ય બોલચાલ પણ થતી હોય છે ત્યારે ભાજપના ધારસભ્યનાં કાર્યાલય પર હુમલો થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતાં.