સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની ઓફિસ પર બરોડા પ્રિસ્ટેજ માર્કેટના ફેરિયાઓએ હોબાળો મચાવ્યો છે.કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હેરાનગતિની રજૂઆત કરવામાં આવી રહી છે.
ફેરિયાઓએ આક્ષેપ કર્યો કે દબાણ હટાવવાના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે.કોર્પોરેશનની ટીમ પોલીસ સાથે આવીને હેરાન કરે છે.સાથે જ માલ સામાન અને ફેરિયાઓને પકડી જતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
ગુજરાત સરકારના આરોગ્યમંત્રી અને સુરતના ઉમેદવારની ઓફિસ પર આજરોજ કેટલાક ફેરિયાઓ અચાનક ધસી આવ્યા હતા અને મંત્રીને રજૂઆત કરી હતી કે સ્થાનિક પોલીસ દ્વારા તેમની સાથે ખોટી કનડગત કરવામાં આવે છે અને માલ-સામાન પકડી જાય છે તેવા આક્ષેપો કર્યા હતા.