સુરત: વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં પણ ભાજપ દ્વાર ગુજરાત ગૌરવ સંપન્ન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
પરંતુ પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં ભાજપનાં નેતાઓને હજી પણ લોકોનાં રોષનો સામનો કરવો પડી રહ્યો છે. સંપર્ક અભિયાન દરમિયાન વરાછા અને સરથાણા વિસ્તારમાં ભાજપી કાર્યકરોને લોકોના વિરોધનો સામનો કરવો પડયો હતો.
લોકોમાં ભાજપ પ્રત્યે નારાજગી એ હદ્દે જોવા મળી રહી છે વરાછા લંબેહનુમાન રોડ કાપોદ્રા હિરાબાગ ત્રિકમનગર સહિતનાં વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટરો લાગ્યા છે. લોકોએ પોસ્ટર લગાવીને એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો.
તેઓ હવે ભાજપનાં કોઇપણ નેતાને સોસાયટીમાં પ્રવેશ કરવા દેશે નહિં.મહત્વનું છે કે બુધવારના સંપર્ક અભિયાનમાં જોડાયેલાં ભાજપી નેતાઓને પાટીદારોએ ભગાળ્યા હતાં..ખુદ મેયરને પણ આ સંપર્ક અભિયાન છોડીને જતું રહેવું પડયું હતું.