સુરતમાંથી નવી નોટોનું કાળા બજાર થતું હોવાની ઘટના સામે આવી છે. રૂપિયા 50 અને 200ની નવી ચલણી નોટો RBIએ બજારમાં મુકી છે પરંતુ આ નોટોનું કમિશન લઈ લોકો કાળા બજારી કરી રહ્યા છે. કેટલાક દલાલો 20 ટકા કમિશન લઈ નવી નોટો વેચી રહ્યા છે.
આ મામલે વરાછા પોલીસે રેડ કરી સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે. વરાછા પોલીસે શહેરની ગોવર્ધનદાસ વણઝારા નામની દુકાનમાં પોલીસે દરોડા પાડયા હતા. આ દુકાનમાં જૂની ચલણી નોટો અને સિક્કા લેવાનું આ દુકાનમાં ચાલતું હતું.