સુરતના સિટીલાઇટ રોડ પાસે આવેલા પારસી ટ્રસ્ટની સ્મશાનભૂમિની જગ્યા પર વર્ષ 2008 થી અનેક વિવાદ અને કેસ ચાલી રહ્યા છે.19મી જાન્યુઆરી આ પારસી સ્મશાનભુમિની જમીનમાં ઘૂસણખોરી કરીને બિલ્ડર વિરડીયા બંધુઓએ મળતિયાઓ સાથે અંતિમવિધી માટેનું દખમું અને બંગલી તોડી નાખતા પારસી ટ્રસ્ટના જમશેદ પેશોતન દોટીવાલાએ ઉમરા પોલીસમાં ફરિયાદ કરી હતી.
જે ફરિયાદના આધારે વરાછાના બિલ્ડર અશ્વીન લાલજી વિરડીયા તથા જિતેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. બિલ્ડરનો ભાઇ હિરેન વિરડીયા અને ધીરૂ ભરૂ નાયકા હજી આ કેસમાં ભાગતા ફરી રહ્યા છે. આ મામલે પારસી સમાજ સાથે કોઈ પણ અન્યાય ન થાય તેવી માગ કરવામાં આવી હતી.
આ ઘટનાની મળતી વિગત પ્રમાણે શહેરના સતત ધમધમતા રહેતા સિટીલાઇટ રોડ પર એસવીએનઆઇટી કોલેજની પાછળ પારસી ટ્રસ્ટની સ્મશાનભૂમિની જગ્યા પર વર્ષ 2008 થી અનેક વિવાદ અને કેસ ચાલી રહ્યા છે.આ ઘટનાને પગલે પોલીસે તમામ દસ્તાવેજો તપાસીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.