સુરતઃ પાંડેસરામાં આધારકાર્ડમાં છબરડા મામલે પોલીસે 3 લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. પાંડેસરા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે. હિરેન પ્રજાપતિ પ્રશાંત શિવરામ પ્રધાન અને હિતેશ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
સરકારની કોઇ એજેન્સીનાં તેમજ સિન્ટીકેટ બેંકનાં ઓપરેટર ન હોવા છતાં પોતાની પાસે આધારકાર્ડ તેઓ અપડેટ કરતાં હતાં. કોઇ રજીસ્ટ્રેશન પણ ન હોવાં છતાં તેણે પ્રશાંત મનસુખભાઇ મોરવાડીયા નામનાં વ્યક્તિનાં અંગુઠાનો રબર સ્ટેમ્પ બનાવીને તેનો ઉપયોગ કરી ખોટી રીતે લોકોનાં આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ કરી આધારકાર્ડ બનાવતાં હતાં. જેને લઇ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.