સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉઠયા છે. લિંબાયત વિસ્તારમાં જાહેરમાં યુવકની હત્યા કરી દેવામાં આવી છે. મદાનપુરા શાકભાજી માર્કેટમાં એક યુવકની કરપીણ હત્યા કરાઈ છે.
અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઈ ગયા છે. હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. બનાવની જાણ થતાં જ DCP સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.