સુરતના ઉધના વિસ્તારમાં રેલવે લાઇન પાસે આવેલી 60 થી 70 જેટલી દુકાનોનું ડીમોલિશન હાથ ધરવામાં આવ્યુ.
મહત્વનુ છે કે તંત્ર દ્વારા 2015માં લાઇનદોરીનો અમલ કરવા માટે આ દુકાનોને નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યાર બાદ આ મામલે દુકાનદારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને આ મામલે વૈકલ્પિક જગ્યા કે વળતર ન મળે ત્યાં સુધી ડીમોલિશન નહિ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. ત્યારે હવે નગરપાલીકાના તરફે ચૂકાદો આવતા તંત્ર દ્વારા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ.
મહત્વનુ છે કે આ દુકાનદારો છેલ્લા ઘણા વર્ષોથી આ દુકાનોથી પોતાની આજીવિકા ચલાવે છે. ત્યારે હવે તંત્ર દ્વારા તેમને કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી અને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યુ ત્યારે હવે સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે.