સુરતમાં ઉનાળા પહેલા જ પાણીનો કાપ શરૂ કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાં પાણીની સ્થિતિના કારણે ઉનાળામાં પાણીની તંગી ન થાય તેના માટે સિંચાઈ વિભાગના પત્ર બાદ તંત્ર દ્વારા પાણીનો કાપ શરૂ કરવામા આવ્યો છે.
તંત્ર દ્વારા 1245 MLD પાણીના સ્થાને છેલ્લા 2 દિવસથી 70 MLDનો પાણી કાપ કરીને 1175 MLD પાણી આપવામાં આવે છે. હાલમાં શહેરમાં પાણી આપવાના સમયમાં 15 મિનિટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આગામી સમયમાં તંત્ર દ્વારા વધુ પાણીનો ઘટાડો કરવામાં આવે તેવી પણ શયતા છે.
નોંધનીય છે કે હવે શિયાળાની સિઝન પૂર્ણ થવા આવી છે. ધીરે ધીરે ઉનાળાની ઋતુ શરૂ થઇ રહી છે. ત્યારે ભર ઉનાળે પાણીની અછત ના સર્જાય તેને ધ્યાનમાં રાખીને મનાપાએ ઉનાળા પૂર્વે જ પાણી કાપનો અમલ શરૂ કરી દીધો છે. શિયાળામાં પાણીની જરિયાત અને વપરાશ ઓછો હોય છે. તેની સામે ઉનાળામાં પાણીની માગ ઉંચી રહેવાની સાથે પાણીનો કાપ આવી રહ્યો છે.