સુરતમાં બાળકો સાથે સૃષ્ટી વિરુદ્ધના કૃત્યનો વધુ એક બનાવ સામે આવ્યો છે.3 બાળક પર પૂજારી દ્વારા સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ઘટનાને હજુ 24 કલાક નથી વિત્યા ત્યાં અડાજણ વિસ્તારમાં આવેલી રાજહંસ સોસાયટીના વોચમેન પર 3 બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે.
અહીંની સોસાયટીનો વોચમેન જે રહેવાસીઓની રક્ષા અને દેખરેખનું કામ કરતો હોય છે તે જ બાળકોને ભક્ષક બની ગયો.અને દિવાળી સમયે બાળકો પર ચોરીનો આરોપ મુકીને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.હાલ આ મામલે અડાજણ પોલીસે વોચમેન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.અને વધુ તપાસ હાથ ધરી છે.