સુરતના ઘોડદોડ રોડ પરના કાકડિયા કોમ્પલેક્ષ પાસે પાર્ક કરેલી કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.મૃતક યુવાનની ઓળખ પલક જરીવાલા તરીકે બહાર આવી છે.ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા આ યુવકે પ્રથમ દ્રષ્ટિએ પોતાની કારમાં જ આપઘાત કરી લીધો હોય તેવી શંકા સેવાઈ રહી છે.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.પોલીસે ઘટનાસ્થળે આવ્યા બાદ સ્થાનિક લોકોની મદદથી કારનો કાચ તોડીને યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ડાયમંડના વેપારી મૃત હાલતમાં મળી આવતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતા અને આ ઘટનાની નોંધ લઇ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચીને તપાસ હાથ ધરી હતી જો કે બંધ હાલતમાં વેપારીનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.