સુરતના પાંડેસરા વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 2 લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી મળી છે.
મળતી માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારના દક્ષેશ્વરનગરમાં કાચા મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. જેના કારણે મકાનના છાપરા પણ ઉડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘર બંધ હોવાને કારણે. છેલ્લા ઘણા દિવસથી ગેસ લીકેજ થતો હતો અને ગેસનો ભરાવો થઇ ગયો હોવાથી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.
ઘરની ઉપર સિમેન્ટના પતરાં રાખવામાં આવ્યા હતા. જે બ્લાસ્ટના લીઘે નીચે પડતાં 2 લોકોને સામન્ય ઇજા પહોંચી હતી. જો કે ઘરમાં કે ઘરની આસપાસ કોઇ નહીં હોવાને કારણે કોઇ નુકસાન થયું નથી. ફાયરબ્રિગેડે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધી હતી.