સુરત શહેર કોંગ્રેસના નવા કાર્યાલય પર તાળા મુદ્દે વિવાદ સર્જાયો હતો.શહેરના એક સર્કલ નજીક કોંગ્રેસ કાર્યાલય પર 2 તાળા લગાવવામાં આવ્યાં હતાં. સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ કાર્યાલય પર લાગેલુ એક તાળુ મૂળ માલિકએ લગાવ્યું હતું.
કોંગ્રેસના પ્રમુખે ભાડું નહિ ચૂકવતા માલિક દ્વારા તાળું મારવામાં આવ્યુ છે. તો આ તરફ વિપક્ષ નેતા પપન તોગડિયાએ બાકી ભાડાની વાત નકારી કાઢી હતી. તેમણે જણાવ્યુ હતું કે અમે કાર્યાલય બદલવા ઇચ્છતા હતાં બંધ કરેલુ મકાન પેટા કાર્યાલય છે. કાર્યાલય માલિક પાસે અમારી ડિપોઝીટ પણ જમા છે.