સુરતમાં સીટી બસની ટક્કરથી બાળકનું મોત થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. બાળક પતંગ પકડવા જતો અને તેમાં તેનું મોત થયું હોવાની જાણકારી મળી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર સુરતમાં આવેલી પાંડેસરાની શાંતિકુંજ સોસાયટી પાસેના BRTS રૂટ પર આ દુર્ઘટના બની છે. ગઈકાલે સાંજના સમયે ઘટના બની હતી. શ્રમજીવી પરિવારનો એક બાળક BRTS ટ્રેકમાં પતંગ પકડવા દોડ્યો હતો અને બાળકનું ધ્યાન ન રહેતા તે બસ સાથે અથડાયો હતો. બસ સાથે બાળખ અથડાતા તેને ગંભીર ઇજા થઇ હતી. અને તેનું મોત થયું હતું.
સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યું છે કે બસ નજીક આવે છે અને બાળકનું ધ્યાન જ નહતું અને ટકરાઇ ગયો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઇ ગયા હતા. જો કે આ ઘટનાથી બસનો ડ્રાઇવર ડરી ગયો હતો અને બસ મૂકીને ભાગી ગયો હતો. પ્રાથમિક તપાસને લઇને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.