સુરતમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદ વરસી ગયો છે. વહેલી સવારથી જ જિલ્લાના માંગરોળ ઓલપાડ માંડવી ઉમરપાડા સહિતના તાલુકામાં વરસાદ વરસી ગયો છે. જોકે આ વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.કેમ કે આ વરસાદ ડાંગર અને શેરડીના પાક માટે નુકસાનરૂપ છે. બીજીબાજુ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં 24 કલાકમાં હળવો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે.