સુપ્રીમ કોર્ટે પ્રિયા વારિયર વિરુદ્ધ ચાલી રહેલા બધા કેસો પર બુધવારે રોક લગાવી દીધી છે. કોર્ટે પોલિસને નિર્દેશ આપ્યા છે કે પ્રિયા વિરુદ્ધ આગળની સુનવણી સુધઈ કોઇ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવે નહીં. જણાવી દઇએ કે બે દિવસ પહેલા પ્રિયાએ પોતાની વિરુદ્ધ ચાલી રહેલા કેસોને રદ કરાવવા માટે SCમાં અરજી દાખલ કરી હતી. એની ફિલ્મ 'ઓરુ અદાર લવ'નું એક ગીત 'માણિક્ય મલરાય પૂવી' પર કેટલાક લોકોએ વાંધો ઊઠાવ્યો હતો. આ સિલસિલામાં પ્રિયા અને ફિલ્મના ડિરેક્ટર ઓમર લુલૂ પર તેલંગાનાના ફલકનુમા અને મુંબઇમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ દાખલ કરનારે કહ્યું હતું કે ગીતથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને નુકસાન પહોંચ્યું છે.
સોમવારે પ્રિયાના વકીલ હરીસ બીરનએ કોર્ટને આ કેસની બને એટી જલ્દી સુનવણી કરવા માટે કહ્યું હતું.
અરજીમાં એવું કહેવામાં આવ્યું કે 'કેસ દાખલ કરનાર લોકોએ ગીતનો ખોટો અર્થ નિકાળ્યો છે'. એમાં પેગંબર મોહમ્મદ અને એમની પહેલી પત્નીની વચ્ચે પ્રેમને દર્શાવવામાં આવ્યો છે. કેરલનો મુસ્લિમ સમુદાય આ ગીતની પાછળ 40 વર્ષથી હાતું આવ્યું છે અને હવે એને પેગંબર અને એની પત્નીની બેઇજ્જતી તરીકે જોવામાં આવી રહી છે.
હૈદરાબાદમાં કેટલાક લોકોએ FIR દાખલ કરી હતી. ફરીયાદમાં કહેવામાં આવ્યું હતું કે લિરિક્સમાં જે રીતે પેગમ્બર મોહમ્મદની પત્નીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ આપત્તિજનક છે. FIR દાખલ કરાવનાર વ્યક્તિએ લિરિક્સને મુસ્લિમ સમુદાયની ભાવનાઓને નુકસાન પહોંચાડનારું જણાવ્યું છે. એમને ગીતને મૂવીથી હટાવવા અથવા એના શબ્દે બદલવા માટેની ચેતવણી આપી છે. એની પર પોલિસે ગીત પર મુસ્લિમ ધર્મગુરુઓનું મંતવ્ય લેવાની વાત કહી હતી. પોલિસે કહ્યું હતું કે જો ગીતમાં ખરેખર કંઇક આપત્તિજનક થશે તો એ એક્શન લેશે.
ફિલ્મના ડિરેક્ટરનું કહેવું છે કે આ ગીતમાં કંઇ પણ આપત્તિજનક નથી. આ માલાબાર એરિયામાં લગ્ન પ્રસંગે ગાવામાં આવતું ખૂબ જ સામાન્ય ગીત છે. અમને મીડિયા દ્વારા જાણ થઇ કે એની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે પ્રિય મલયાલમ અભિનેત્રી છે. ફિલ્મનું સોન્ગ રિલીઝ થયાના બે દિવસની અંદર એ ઇન્ટરનેટ પર સૌથી વધારે સર્ચ થનારી વ્યક્તિ બની હતી. ઇન્સ્ટાગ્રામ પર હવે એના 23 લાખ ફોલોઅર થઇ ગયા છે.