નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નિર્દેશક સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ પર રોક લગાવવાની અરજી પર સુનાવણી કરવામાં ના પાડી દીધી છે. જણાવી દઇએ કે ક્ષત્રિય સમાજ શરૂઆતથી જ વિરોધ કરી રહ્યો છે.
અરજીને ફગાવતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેન્સર બોર્ડે અત્યાર સુધી પદ્માવતીને પ્રમાણપત્ર રજૂ કર્યું નથી આ એક સ્વતંત્ર સંસ્થા છે અને એના માટે કોર્ટે એના અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં.
ફિલ્મના વિરોધમાં ભાજપ નેતા અને સાંસદ સાક્ષી મહારાજે પણ નિવેદન આપતાં કહ્યું કે ઇતિહાસની સાથે છેડછાડને સહન કરવામાં આવશે નહીં.
એમને કહ્યું હતું કે જે રીતે પદ્માવતી મહારાણી માં હિંદુ અને ખેડૂતોને મજાક બનાવવામાં આવી રહ્યા છે સરકાર અને પ્રશાસનને જાણ થવી જોઇએ કે આ ખોટું થઇ રહ્યું છે અને ફિલ્મ પદ્માવતીને પૂરી રીતે બેન કરી દવી જોઇએ.
ફિલ્મ પર આરોપ છે કે એમાં ઐતિહાસિક તથ્યો સામે છેડછાડ કરીને રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મનો સૌથી વધારે વિરોધ રાજસ્થાનમાં થઇ રહ્યો છે. સાક્ષીએ આગળ કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અસ્મિતા અને રાષ્ટ્રથી કોઇ લેણદેણ નથી. એમને માત્ર પૈસા જ જોઇએ. એ લોકો કંઇ પણ કરી શકે છે.
નોંઘનીય છે કે ફિલ્મ પદ્માવતીના શૂટિંગની જ્યારથી શરૂઆત થઇ છે ત્યારે વિવાદોમાં ઘેરાયેલી છે. રોજબરોજ ફિલ્મ 'પદ્માવતી' વિરુદ્ધ અલગ અલગ જગ્યાએ પ્રદર્શન કરવામાં આવે છે. ઉપરાંત ફિલ્મ રિલીઝ નહીં કરવા દેવાનું કહેવામાં આવે છે.