ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ માટે પ્રાથમિક શિક્ષણના સમયે જ વિજ્ઞાનના પુસ્તકમાં જાણકારી આપવામાં આવે છે કે આ એક ખગોલીય ઘટના છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રમા પૃથ્વીની ઉપછાયાથી થઈને પસાર થાય છે ત્યારે આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. અને આ ફક્ત પૂર્ણિમાના દિવસે જ શક્ય બને છે. બ્રહ્માંડમાં ઘટવાવાળી આ ઘટના ખગોળિય તો છે જ સાથે જ તેનું ધાર્મિક મહત્વ પણ એટલું જ રહેલું છે.
જાણો કઈ રીતે થાય છે ચંદ્રગ્રહણ...
ચંદ્રગ્રહણ આમ તો એક ખગોળીય ઘટના છે. જેની દરેક ચીજવસ્તુઓ પર અસર પણ એટલી જ પડતી હોય છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ચંદ્રગ્રહણ કઈ રીતે થાય છે. તો જ્યારે સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે ચંદ્ર ગ્રહણની ઘટના બને છે. ત્યારે આકાશમાં જોવામાં આવે તો ચંદ્રની આગળ એક કાળો પડછાયો પડે છે. જે ચંદ્રને ઢાંકી દે છે. બ્રહ્માંડમાં ઘટવાવાળી આ ઘટનાનું જેટલું ખગોળીય મહત્વ છે. તેટલું જ આદ્યાત્મિક મહત્વ પણ એટલું જ રહેલું છે. આ ગ્રહણને લઈને સામાન્ય માણસોમાં શુકન અને અપશુકનની પણ માન્યતાઓ રહેલી છે.
સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવે છે પૃથ્વી ત્યારે બને છે ચંદ્રગ્રહણની ઘટના
વર્ષ 2018ની જો વાત કરવામાં આવે તો આ વર્ષે ચંદ્ર ગ્રહણની ઘટના બે વાર બનશે. પહેલું ચંદ્ર ગ્રહણ આજે થઈ રહ્યું છે. જ્યારે વર્ષમાં થવાવાળું બીજું ચંદ્રગ્રહણ 27-28 જુલાઈના દિવસે થશે. આ બંન્ને ચંદ્રગ્રહણ એ પૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે. આ પૂર્ણ રીતે થતાં ચંદ્રગ્રહણ વિશેષ રૂપથી ભારતમાં દેખાશે અને તેનો પ્રભાવ પણ વર્તાશે. જો ધાર્મિક મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે જ્યારે ગ્રહણની ઘટના બને છે ત્યારે સૂતક પણ લાગતું હોય છે અને તેના નિયમો પણ પાળવામાં આવતા હોય છે.
ચંદ્રોદયથી ચંદ્રગ્રહણની થશે શરૂઆત
આજના દિવસે થવાવાળું પૂર્ણ ચંદ્રગ્રહણ જે ચંદ્રનો ઉદય થશે ત્યારથી જ શરૂ થઈ જશે. આ દિવસે ચંદ્રમા સાંજે 5 અને 28 કલાકે ઉદય પામશે. રાત્રિના આશરે પોણા નવ વાગ્યા સુધીમાં ચંદ્રગ્રહણની સમાપ્તિ થઈ જશે. આ ચંદ્રગ્રહણની અવધિની જો વાત કરવામાં આવે તો લગભગ આ ચંદ્રગ્રહણ લગભગ 2 કલાક 41 મિનિટ અને 10 સેકેંડ સુધી રહેશે. એટલે કે આજનું જે ચંદ્રગ્રહણ છે તે પૂર્ણ ચંદ્રગ્રહણ છે. ભારતભરમાં જોઈ શકાશે.
ખાસ કરીને ચંદ્રગ્રહણ હોય ત્યારે શું કરવું અને શું ના કરવું?
ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. કેમ આવી સલાહ આપવામાં આવે છે જો તેની વાત કરવામાં આવે તો ગ્રહણ જ્યારે ચાલતું હોય છે. ત્યારે વાતાવરણમાં નકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે. માટે ઘરમાં વાતાવરણ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેથી કરીને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે. ઘરમાં વાસી ખોરાક ન રાખવો જોઈએ. ગ્રહણ પત્યા બાદ રસોડામાં રહેલ અન્ન અને પાણને બદલી નાંખવું જોઈએ.
આમ ચંદ્રગ્રહણ દરમિયાન આવી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો શરીર સ્વાસ્થ્ય સારું રહે છે. નકારાત્મક ઉર્જાથી બચી શકાય છે. આમ કહી શકાય કે ચંદ્રગ્રહણનું જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે. તેટલું જ આદ્યાત્મિક મહત્વ પણ રહેલું છે.