કયારેક કોઈ સમાચાર આપણને અચંબામા મુકી દેતા હોય છે. આવા સમાચારો સાથે જોડાયેલ કેટલીક વાતો સાચી હોય છે તો કેટલીક વાતોને તોડી મરોડીને રજુ કરવામા આવી હોય છે. આવા એક સમાચાર તાજેતરમા જાણવા મળ્યા હતા. 12 ઓગષ્ટ 2017ના રોજ રાત પડશે જ નહિં.
આ સમાચારના સંદર્ભમા અંતરીક્ષ વિજ્ઞાન ક્ષેત્રે કામ કરતી સંસ્થાનો સંપર્ક કરાતા નાસાએ વાયરલ થતા જણાવ્યુ હતુ કે 12 ઓગષ્ટના રોજ રાતે ઉલ્કાપાત થવાનો છે એટલે કે મોટા પ્રમાણમા ઉલ્કાઓ પડતી હોવાથી આ દિવસે રાતે અજવાળુ થોડુ વધુ જોવા મળશે. આ ઘટના 96 વર્ષ પછી બનવાની હોવાથી સમગ્ર નજારો જોવાલાયક હશે. નાસાએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે સમગ્ર વર્ષ દરમિયાન 3 વાર ઉલ્કાપાત થતો હોય છે. જેમા જાન્યઆરીઓગષ્ટઅને ડિસેમ્બર માસમા ઉલ્કાવર્ષા થતી હોય છે.
નાસાએ 12 ઓગષ્ટના રોજ થનારી ઉલ્કાવર્ષાની ઘટનાને સમર્થન આપતા જણાવ્યુ હતુ કે આ ઘટનાથી આખી રાત પુરેપુરૂ અજવાળુ વાતાવરણમા નહી પરંતુ આંશિક પ્રકાશ રાતે ફેલાયેલો જોવા મળશે. આ નજારો ખુબ જોવાલાયક હશે તેવી વાત નાસાના અધિકારીએ જણાવી હતી.