આવતીકાલે સૂર્યગ્રહણ થવાનું છે. 99 વર્ષ પછી થવા જઈ રહેલી આ અદભુત ઘટનાને વિજ્ઞાન ક્ષેત્રે કામ કરતી સંસ્થા નાસા પણ જોવા ઉત્સુક છે. આવતી કાલે થનારી આ ઘટનાનું લાઈવ ટેલિકાસ્ટ નાસા દ્વારા કરવામાં આવશે તેવી વાત નાસાના એક ઉચ્ચ અધિકારીએ જણાવી હતી.
આ ઘટના અમેરિકાના તમામ મુખ્ય વિસ્તારોમાં દેખાશે. મુખ્યત્વે આ ખગોળીય ઘટના યુરોપઉત્તર-પૂર્વ એશિયાઉત્તર-પશ્ચિમ આફ્રિકાપશ્ચિમ એટલાન્ટિકના મોટાભાગના વિસ્તારોમાં દેખાય છે. 21 ઓગસ્ટ 2017 સોમવારે થનાર સૂર્ય ગ્રહણ આંશિક રીતે દેખાશે.ભારતમાં રહેવા વાળી વ્યક્તિઓ પર તેની કોઈ અસર થશે નહીં.
સૂર્ય ગ્રહણ થવાનુ કારણ..?
જયારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે અને પછી પૃથ્વીના કેટલાક ભાગોમાં સૂર્ય દેખાય નહીં તો સૂર્યની કલ્પના કરવામાં આવે છે. જ્યારે ચંદ્ર પૂર્ણપણે સૂર્યને ઢાંકી દે છે ત્યારે તે પૂર્ણ સૂર્ય ગ્રહણ કહે છેજ્યારે આંશીક સ્વરૂપથી ચંદ્ર ઢાકે છે તો તેને અંશતઃ સૂર્ય ગ્રહણ કહે છે.
સૂર્ય ગ્રહણ સમાપ્તિ- 22 ઓગસ્ટ સવાર 2:34 સુધી (ભારતીય સમય પ્રમાણે)
આ સૂર્ય ગ્રહણનો પ્રભાવ તેવા લોકો પર થશે જેનો રાહુ અથવા કેતુની મહાદશા અથવા અંતઃદશા ચાલતી હોય અથવા જેની કુંડલીમાં ગ્રહણ દોષ હોયઆવા લોકોને ગ્રહણ અસર કરે છે
જે જાતકની કુંડળીમા દોષ હોય તેમણે ગ્રહણ સમયે હવન કરવો અને ગ્રહણ સમાપ્ત થાય બાદ સ્નાન કરી ગરીબોને ખાવા-પીવાની વસ્તુનુ દાન કરવુ જોઇએ. હવનની જો વ્યવસ્થા ન થાય તો ગ્રહણ દરમિયાન ૐ નમઃ શિવાય નામનો સતત જાપ કરવો જોઈએ.
1918 પછીથી પ્રથમ વખત આ ઘટના બની જહી છે. આ ખાસ તક માટે નાસાએ આશરે 10 થી વધુ સ્પેસક્રાફ્ટ 3 એરક્રાફ્ટ અને 50 થી વધુ એર બલૂન દ્વારા ઘટનાને નીહાળવા તૈનાત કર્યા છે.