તહેવારોની શરૂ થતા જ ખાંડની માગ સતત વધવા પામી છે. નવરાત્રિ અને દિવાળી પર્વ પણ નજીક આવી રહ્યા છે ત્યારે ખાંડની ખરીદીમા પણ ઉછાળો આવ્યો હતો. ખાંડની માંગ વધતા જ ભાવપણ વધવા પામ્યો હતો. આ કારણોથી હવે નજીકના સમયમાં ખાંડના ભાવમાં ઘટાડો થાય તે વાત નકારવી પડે તેમ છે.ભારતમાં ઉત્સવોનો માહોલ છે ત્યારે ખાંડના ભાવમાં આવે સતત ઉછાળો ખાસ કરીને માધ્યમ વર્ગને પરેશાન કરશેતેમ કહવુ ખોટુ નથી.
ઉલ્લેખનીય છે કે આ સંજોગોમાં મધ્યમ ક્વોલિટીની ખાંડનો ભાવ રૂ. ૪૨થી ૪૫ની સપાટીએ પહોંચ્યો છે. આમ સતત વધી રહેલા ભાવને કારણે હોલસેલ વેપારીઓએ એક શંકા વ્યક્ત કરી હતી કે નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોના દિવસોમાં ખાંડ રૂ. ૫૦ની સપાટીએ પહોંચી શકે છે.
શું છે અત્યારે ભાવ..?
હાલમાં A-ક્વોલિટીની ખાંડના ભાવમાં પણ મજબૂત સુધારાની ચાલ નોંધાઇ છે. રૂ. ૪૫થી ૪૮ની સપાટીએ ભાવ પહોંચી ગયો છે. છેલ્લાં ચાર સપ્તાહમાં ખાંડના ભાવમાં પ્રતિકિલોએ રૂ. 2 થી 3 નો સુધારો જોવાઇ ચૂક્યો છે. કર્ણાટકમહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશના પ્રદેશોમાં શેરડીના પાકનું ઓછું વાવેતર તો બીજી બાજુ પાછલા વર્ષના નીચા સ્ટોકના કારણે ખાંડના ભાવમાં મજબૂત સુધારો નોંધાયો છે. પાછલા એક વર્ષમાં ખાંડના ભાવમાં પ્રતિકિલોએ રૂ. ૧૨થી ૧૫નો વધારો જોવાઇ ચૂક્યો છે.
મધ્યમ વર્ગને વધુ અસર થશે.
તહેવારોની સીઝન શરુ થતા જ મીઠાઈની માગ પણ મોટા પાયે હોય છે ત્યારે ખાંડમાં આવનાર આ ઉછાળાને કારણે માધ્યમ વર્ગીય પરિવારોને ખાંડ કડવી લાગશે કે નહિ તે સમય જ કહેશે.