ડીસા તાલુકાની એસ એમ જી રાજગોર માધમિક શાળામાં 9 થી 12 ધોરણ અને 278 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળા મા ભક્તિમય વાતાવરણ દરોજ બની રહેછે વિધાર્થીઓ સમૂહમા શ્રી ભાગવત ગીતા ના 700 શ્લોક એક સાથે સડસડાટ બોલે છે શાળાના આચાર્ય નું કહેવું છેકે સાત વર્ષ પહેલા શાળાના એક વિધાર્થીએ કારણો સર તણાવ મા આવીને આત્મ હત્યા કરી હતી ત્યારથીજ શાળા ના આચાર્ય ના મનમાં વિચાર આવ્યો કે વિધાર્થીઓ ને કઈક આવું કરીએ કે જે તણાવ મુક્ત થાય અને સારા સંસ્કાર મળે ત્યારે થીજ શાળાના શિક્ષકોએ વાલીઓ સાથે મળીને નક્કી કર્યું કે દરેક વિધાર્થી નર એક એક ગીતા નું પુસ્તક આપવા આ આવે અને વિધાર્થીને તેના થી કઇક સંસ્કાર મળે પછી દરેક વિધાર્થી ને એક એક ગીતાનું પુસ્તક આપવા મા આવ્યું.
ઘરે એક એક પુસ્તક છે અને તે પુસ્તક રોજ બાળકો વાંચન કરે છે અને રોજ સવારે શાળામાં પ્રાર્થના મા પણ રોજ 11જુદા જુદા શ્લોકો બોલાય છે જેથી આજે વિધાર્થીઓ 700 શ્લોકો નું મોઢે સડસડાટ પઠન કરે છે રોજ શાળા ના શિક્ષકો દ્ધારા વિધાર્થીઓ નવા સંસ્કાર મળે અને વિદ્યાર્થીઓ ઊંધા રસ્તે ના ચડે એમાટે શિક્ષકો પૂરતા પ્રયત્ન કરી વિધાર્થી જોડેજ રહે છે અને આ શાળામાં 100 ટકા વિધાર્થીઓ હાજર રહે છે.
આમ તો બીજી શાળા નો ટાઈમ 11 વાગ્યે નો હોય છે પણ આ શાળામાં 10 વાગ્યે શાળા શરૂ થઈ જાય છે સવારે વિધાર્થીઓ શ્લોક અને જુદી જુદી પ્રવૃતિઓ કરે છે અને શાળાના શિક્ષકો એક પરિવાર ની જેમ વિધાર્થીઓ જોડે રહે છે રોજ ફરજિયાત શાળામાં જ વિધાર્થી ને ટિફિન બોક્સ લઈને આવવાનું હોય છે અને શિક્ષકો પણ તેમની સાથેજ ટિફિન મા બેસીને પોતાના માતા પિતા જેમાં જામે છે
આમ આ શાળામાં વિધાર્થીઓ અને શિક્ષકો નો પ્રેમ દેખાઈ આવે છે દરેક વિધાર્થી સાથે ગીતાના શ્લોક બોલે છે અને ગીતા ના શ્લોક સાથે સાથે તેમનું અનુવાદ પણ કરે છે અને તે સંસ્કારો અને ભાગવત ગીતા મા કૃષ્ણે જે અર્જુન નને સમજાવ્યા હતા સંકર આપ્યા હતા એજ સંસ્કાર હાલ આ શાળા ના વિધાર્થીઓ મા જોવા મળે છે
આ શાળામાં બાળકો વધુ દલિત અને એકદમ ગરીબ વર્ગ માંથી આવતા હોવાથી શિક્ષકો તેમનો પૂરો ખ્યાલ રાખે છે વિધાર્થીઓ ને કોઈ પણ વસ્તુની જરૂર હોય તે પણ શિક્ષકો તેમની જરૂરિયાત તો માતા પિતા જેમ પૂર્ણ પણ કરે છે.સાથે સાથે રોજ રાત્રે આ શાળામાં બે કલાક રાત્રે વિધાર્થીઓ ને કોચિંગ કલાસ શાળા ના શિક્ષકો દ્ધારા લેવા મા આવે છે જેથી આ શાળા ના એક પણ વિધાર્થીઓ બહાર ટયુશન કરતા નથી