ગોરખપુરઃ ધોરણ 5માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ શિક્ષકની સજાથી દુખી થઇને આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી હતી. અને તેમાં પોતાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરતા લખ્યું છે કે મારા શિક્ષકને કહેજો કે આટલી મોટી સજા કોઇને પણ ના આપે. 5માં ધોરણમાં ભણતા 11 વર્ષના નવનીત પ્રકાશને 15 સપ્ટેમ્બરે ક્લાસમાં શિક્ષકે આપેલી સજાથી દુખી થઇને ઝેર ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અને તેના પછી સારવાર દરમિયાન તેનું મોત થયું છે. સેંટ એંથોનીજ કોન્વેટ સ્કૂલમાં અભ્યાસ કરતા નવનીતને શિક્ષકે કયા પ્રકારની સજા આપી તેઓ ઉલ્લેખ તેણે પોતાની સુસાઇડ નોટમાં લખી છે.
સુસાઇડ નોટમાં નવનીતે લખ્યું છે. અન્ય વિદ્યાર્થીઓની વાત માનીને શિક્ષિકાએ તેને ત્રણ પીરિયડ સુધી ઊભા રહેવાની સજા આપી હતી. અને આ સજાથી દુખી થઇને બાળકે મોતને વહાલું કર્યું છે. નવનીતના મોત બાદ રોષે ભરાયેલા પરિવારજનોએ શાળાએ પહોચીને હોબાળો કર્યો હતો. અને સ્કૂલ તંત્ર સાથે આરોપી શિક્ષિકા વિરૂદ્ધ કેસ દાખલ કરવાની માગ કરી હતી. ત્યારે આ મામલે કેસ દાખલ કરીને આરોપી શિક્ષિકા ભાવના જોજફની ધરપકડ કરવામાં આવી છે.
પપ્પા આજે 15 ડિસેમ્બરે મારી પ્રથમ પરીક્ષા હતી. મારા ક્લાસ ટીચરે મને સવા નવ સુધી રડાવ્યો અને ઊભો રાખ્યો. કારણ કે તેઓ અન્ય વિદ્યાર્થીઓની કથિત વાત માને છે. તેમની કોઇ વાતનો વિશ્વાસ કરતા નહીં. કાલે તેમણે મને ત્રણ પીરિયડ સુધી ઊભો રાખ્યો. આજે મે વિચારી લીદું છે કે હૂં મરવાનો છું. મારી અંતિમ ઇચ્છા મારા શિક્ષકને કોઇ અન્ય બાળકને આટલી મોટી સજા ના આપવાનું કહેજો.