અમદાવાદ: આજરોજ મોદી અને નેતન્યાહૂ અમદાવાદની મુલાકાતે છે. ત્યારે એમની સુરક્ષાને લઇને કડક સુરક્ષા કરવામાં આવી છે. જો કે સૂત્રોનું કહેવું છે કે નેતન્યાહૂને વિશ્વવ્યાપી ત્રાસવાદી સંગઠનોનો ખતરો હોવાને કારણે સિક્યોરિટી પણ તે પ્રમાણે ગોઠવવામાં આવી છે.
શહેર પોલીસ દ્વારા બોટ દ્વારા સાબરમતી નદીમાં પેટ્રોલિંગ કરશે. નદીમાં પોલીસ બોટ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી શંકાસ્પદ ગતિવિધીઓને પકડી પાડવા સજ્જ રહેશે. ગાંધી આશ્રમમાં જ કુલ 117 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેનું મૉનિટરિંગ પણ આશ્રમની એક રૂમમાં જ કરવામાં આવશે.
એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના 7 કિમીના રૂટ પર કુલ 7 ઝોન બનાવાયા છે. દરેક 1 કિમીના રૂટની સિક્યુરિટીનો ચાર્જ ડીસીપી કક્ષાના અધિકારીને સોંપાયો છે. 7 ઝોનની 7 લેયરની સિક્યુરિટીમાં કુલ 2 હજાર જેટલા પોલીસ કર્મચારી ગોઠવવામાં આવ્યા છે.