હિમાચલ પ્રદેશને દેવભૂમિ કહેવામાં આવે છે. અહીંયા ઘણા પ્રાચીન અને મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. કાંગડા જિલ્લામાં એક અનોખું શિવલિંગ છે અહીંયાના કાઠગઢ મહાદેવ મંદિરમાં શિવલિંગ અર્ઘનારીશ્વર રૂપમાં છે. સાથે જ શિવ-પાર્વતીના રૂપમાં વિભાજિત થયેલું આ શિવલિંગના બે ભાગ વચ્ચેનું અંતર આપોઆપ વધતુ-ઘટતું રહે છે.
ગ્રહો-નક્ષત્રોને અનુસાર વધતું-ઘટતું રહે છે અંતર:
આ વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં શિવલિંગને બે ભાગમાં વિભાજિત થયેલું છે. માં પાર્વતી અને ભગવાન શિવના બે વિભાજિત થયેલા શિવલિંગમાં ગ્રહો અને નક્ષત્રોમાં થતા પરિવર્તનને કારણે બે ભાગોના મધ્યનું અંતર વધતું-ઘટતું રહે છે. ગ્રીષ્મ ઋતુમાં આ સ્વરૂપ બે ભાગોમાં વિભાજિત થઇ જાય છે અને શિયાળામાં ફરી એક રૂપ ધારણ કરી લે છે.
સિકંદરે કરાવ્યુ હતુ મંદિરનું નિર્માણ:
એતિહાસિક માન્યતાઓ અનુસાર કાઠગઢ મહાદેવ મંદિરનું નિર્માણ સૌથી પહેલા સિંકદરે કરાવ્યુ હતુ. આ શિવલિંગથી પ્રભાવિત થઇને સિકંદરે આ મંદિર બનાવવા માટે આ ભૂમિને સમથળ કરાવી અને અહીંયા મંદિર બનાવ્યુ.
અર્ધનારીશ્વર શિવલિંગનું સ્વરૂપ:
બે ભાગોમાં વિભાજિત શિવલિંગનું અંતર ગ્રહો તથા નક્ષત્રોના અનુસાર વધતુ-ઘટતું રહે છે અને શિવરાત્રિ પર આ શિવલિંગના બંને ભાગે મળી જાય છે. અહી શિવલિંગ કાળા-ભૂરા રંગનું છે. શિવ રૂપમાં પૂજાતા આ શિવલિંગની ઉંચાઇ લગભગ 7-8 ફૂટ છે અને પાર્વતીના રૂપમાં પૂજાતા આ શિવલિંગની ઉંચાઇ લગભગ 5-6 ફૂટ છે.
શિવરાત્રિ પર લાગે છે ખાસ મેળો:
શિવરાત્રિના તહેવાર પર દર વર્ષે અહીંયા ખાસ મેળાનું આયોજન કરવામાં આવે છે. શિવ અને શક્તિના અર્ધનારીશ્વર સ્વરૂપના સંગમનું દર્શન કરવા માટે અહીંયા ઘણા ભક્તો આવે છે. આ સિવાય શ્રાવણ મહિનામાં પણ અહીંયા ભક્તોની ભીડ જોવા મળે છે.