પંચમહાલ: પંચમહાલના શહેરા ખાતે મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં 3 લોકોને ઈજા પહોંચી હતી. શહેરના રોહિતવાસ પાસે આવેલી પાનની દુકાન પાસે બે યુવાનો વચ્ચે કોઈ કારણોસર સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાદ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બન્ને જૂથ આમને સામને આવી જતાં એકાએક પથ્થરમારો શરૂ થયો હતો.
બે જૂથ વચ્ચેના પથ્થરમારામાં 3 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હાલ પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી છે. શહેરના રોહિતવાસ ખાતે હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બન્ને જૂથ વિરુદ્ધ રાયોશટગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.