સુરતના હાર્દિકપટેલની રેલીમાં પથ્થર મારો કરવામાં આવ્યો હતો. અજાણ્યા યુવકોએ પથ્થર મારો કર્યો હતો. પાથરણાવાળાને ઉઠાડતા પથ્થર મારો કરવામાં આવ્યો હતો. બોમ્બે કોલોની રચના સર્કલ પાસેની ઘટના બની હતી.
ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ દવારા આજે સુરત ખાતે રોડ-શો અને જાહેરસભાનું વરાછા રોડ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેની શરૂઆત કતારગામ હાથી મંદિરથી કરવામાં આવી.
જેમાં મોટી સંખ્યામાં અનેક યુવાનો જોડાયાં. આ રોડ-શો દરમિયાન હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ”આ ચૂંટણીમાં ગુજરાતની જનતા જીતશે અને જરૂરથી સત્તા પરિવર્તન થશે. સાથે જ હાર્દિકે કોંગ્રેસને છ મહિનાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે.
ગુજરાતની ભાજપ સરકાર સામે માથાનો દુખાવો સમાન બની ગયેલ પાટીદાર આંદોલન ચૂંટણી સમયે ફરી પાછું સક્રિય થતા જ કેટલાય તર્ક-વિતર્કો સર્જાઈ રહ્યાં છે. આજે સુરત ખાતે જોવા મળેલ હાર્દિક પટેલની રેલીમાં સ્વયંભૂ જનમેદની હાજર રહેતા આગામી ચૂંટણના પરિણામો પર આ રેલીની અસર પડશે કે કે તે હવે સમય જ કહેશે.