શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં હિંસક ઘર્ષણ અને પથ્થરમારાની ઘટનાઓને અંત આવી રહ્યો છે. પાકિસ્તાન તરફથી આ પ્રકારની ઘટનાઓને જમ્મૂ-કાશ્મીરમાં અંજામ આપવામાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે પાકિસ્તાન અકળાયું છે. અને હવે તે મોટા પ્લાનને અંજામ આપવાનું વિચારી રહ્યું છે.
પાકિસ્તાન હવે ભારતના અન્ય રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવાની તૈયારીમાં છે. ઘાટીમાં અલગાવવાદીઓ અને આતંકીઓને બહુ ઓછો સપોર્ટ મળી રહ્યો છે. કાશ્મીરના લોકો આતંકવાદથી પરેશાન છે અને તેમને અહેસાસ થઇ રહ્યો છે. તેમણે અલગાવવાદીઓએ કેદ કરી દીધા છે. સાથે જ આતંકીઓની વધતી સંખ્યાથી પણ તેઓ પરેશાન થઇ ગયા છે.
નોંધનીય છે કે જમ્મૂ-કાશ્મીરની ઘાટીમાં ગત વર્ષે બુરહાન વાનીના મોત બાદ વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. સેના દ્વારા ઘણા આતંકવાદીઓનો ઠાર પણ કરવામાં આવ્યો છે. પહેલા એવું હતું કે સેના દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ જે પગલાં ભરવામાં આવતાં હતાં એમાં સ્થાનિક લોકો પણ પથ્થરમારો કરતાં હતા. જેથી આતંકવાદીઓને ભાગી જવામાં ચાન્સ મળતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જમ્મૂ-કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનામાં ઘટાડો થતો જોવા મળ્યો છે.