બનાસકાંઠાઃ ઠંડીના માહોલ વચ્ચે તસ્કરોએ માઝા મુકી છે. પાલનપુરના લાખાણી થરાદ બાદ અમીરગઢમાં તસ્કરો ત્રાટકયા હતા. અમીરગઢમાં મકાનની ગ્રીલ તોડી તસ્કરો ઘરમાં ઘુસીને આશરે સોનાના 20 તોલાના દાગીના લઇ ફરાર થઇ ગયા હતા.
તસ્કરોએ માઝા મુકતા નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલ ઉભા થયા છે. જોકે હવે ચોરીની ઘટનાઓ વધતાં પોલીસ કુંભકર્ણની નિંદ્વામાંથી જાગી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ઠંડી પડતાની સાથે જ તસ્કરો સક્રિય થવા લાગ્યા છે. ત્યારે અમીરગઢમાં એક મકાનમાં ગ્રીલ તોડી ધાડ પાડી હતી. જેમાં સોના દાગીના સહિતની વસ્તુઓ લઇ ફરાર થયા હતા. જેને લઇ પોલીસ પર પ્રશ્નાર્થ લાગ્યો છે.
મહત્વનું છે કે પોલીસે જેને લઇ તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં લાખણી-થરાદમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. જેની પોલીસ તપાસ શરૂ છે.