અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીઓ દ્વારા પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડા ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે ગુરુવારે શ્યામ પિત્રોડાએ GPCC ખાતે નિવેદન આપ્યુ કે હું પાચ દિવસે માટે ગુજરાતના લોકોને સાંભળવા માટે આવ્યો છે.
આ દરમ્યાન હું વડોદરા અમદાવાદ રાજકોટ અને સુરતની મુલાકાત લેવાનો છું. આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા લોકોને સાંભળીને મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે.