અમદાવાદઃ સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મ પદ્માવતીનો છેલ્લા ઘણા સમયથી રાજપૂત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ મામલે સાંસદ પરેશ રાવલે નિવેદન આપ્યુ છે કે હિન્દુસ્તાનની સંસ્કૃતિને તોડી મરોડીને જો કોઈ વસ્તુ રજૂ કરવામાં આવે એના વિશે ચર્ચા થશે તેની સમીક્ષા થશે. આ મામલે એક કમિટિની રચના કરવામાં આવી છે.
આ કમિટી સેન્સરમાં બેસશે અને આ કમિટિ ફિલ્મ જોશે ત્યારબાદ તેનો નિર્ણય લેવામા આવશે. મહત્વનુ છે કે ભાજપ દ્વારા જનસંપર્ક યાત્રા યોજવામાં આવી છે. જેના ભાગરૂપે આજે સાંસદ પરેશ રાવલ અમદાવાદના વટવા વિસ્તારમાં પહોચ્યા હતા. અને આ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યુ હતુ.