સુરતઃ ભેસ્તાન ચાર રસ્તા પાસે ATMમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. SBIના ATMમાં આગ લાગી હતી. જેમાં મશીન બળીને ખાખ થઇ ગયું છે. જો ઘટનાની જાણ બાદ તાત્કાલિક ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ આગ શોટ સર્કિટથી લાગી હતી.
ઉલ્લેખનિય છે કે આ પહેલા સુરતના ભટાર ભટાર વિસ્તારમાં બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં આગ લાગી હતી. સદનસીબે એટીએમ ખાલી હતું જો કે મશીન આગમાં સ્વાહા થઇ ગયું હતું. ફાયર કંટ્રોલે જણાવ્યા અનુસાર ભટાર ચાર રસ્તા સ્થિત ઇન્દ્રલોક એપાર્ટમેન્ટ નીચે બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં આગ લાગી હતી. જેમાં ફાયર બ્રિગેડ સાથે બેંકના કર્મચારીઓ પણ પહોંચી ગયા હતા. આગમાં એટીએમ સાથે ફનિર્ચર વાયરીંગને નુકસાન થયું હતું.