ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે શરૂ થયેલી રો-રો પેસેન્જર સેવાનો વિધિવત પ્રારંભ દહેજથી થયો છે. ઈન્ડિગો સી-વે નું પ્રથમ જહાજ 25 મુસાફરો ને લઈને ઘોઘા આવી પહોંચીયું હતું.
જહાજમાં આવેલા પેસેન્જરોએ દરિયાઈ માર્ગે શરૂ થયેલી તેમની પ્રથમ મુસાફરી રોમાંચક અને સમય તેમજ નાણાંનો બચવા થયો હોવાનું જણાવ્યું હતું.
ભાવનગર થી સુરત બસ માર્ગે 7 કલાક નું અંતર હવે ઘટી ને 4 કલાક આસપાસ થઇ જશે. સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ભાવનગર બનશે તેમાં કોઈ બે મત નથી.
ઘોઘા-દહેજ વચ્ચે રોરો પેસેન્જર સેવાનો વિધિવત પ્રારંભ
25 પેસેન્જરો સાથે ઈન્ડિગો સી-વે નું પ્રથમ જહાજ પહોંચ્યું
પેસેન્જરોએ દરિયાઈ માર્ગે પ્રથમ મુસાફરી રોમાંચક જણાવી