પાટણના રાધનપુર હાઈવે પાસે એસટી બસ ફસાઈ જવાના સમાચાર સામે આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતોનુસાર પાટણના રાધનપુર હાઇવે પર ભૂગર્ભ ગટરની ખરાબ કામગીરીના કારણે બસ ફસાઈ છે. જમીન પોચી હોવાના કારણે બસના ટાવર જમીનમાં ફસાયા હતા. જેના કારણે બસ ફસાઈ હતી.
મહત્વનુ છે કે રાધનપુરથી પાલનપુર બસ જઈ રહી હતી. ત્યારે આ બસ ફસાઈ હતી. જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો છે.