રાજકોટ: પોરબંદર જતી બસને સળગાવવામાં આવી હતી. પૂણે હિંસાના પડઘા ગુજરાતમાં પણ પડયાં હતાં. ધોરાજી ભૂખી ચોકડી પાસે ST બસને સળગાવવામાં આવી હતી. ST બસમાં અજાણ્યા શખ્સોએ આગ લગાવી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં થયેલ હિંસાના પાટણમાં પ્રત્યાઘાત પડયા હતા. દલિત યુવકોએ ચાણસ્મા હાઈવે પર ટાયર સળગાવીને ચક્કાજામ કર્યો હતો. ચાણસ્મા રોડ પર લીલીવાડી ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનના કારણે પાટણ-ચાણસ્મા હાઈવે પર વાહનોની લાંબી કતારોલાગી હતી.