ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને વિશાખાપટ્ટનમની વનડે મેચમાં 8 વિકેટથી હરાવીને 3 મેચની વનડે સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. આ સાથે જ રોહિત શર્માએ કેપ્ટન તરીકેના આ પહેલી વનડે સીરિઝની જીત છે. ભારતીય ટીમને વનડે સીરિઝમાં 0-1થી પછાડ્યા પછી શાનદાર વાપસીની સાથે આ સીરિઝ જીતી છે. ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા માટે આવેલી શ્રીલંકાની ટીમ 215 રન પર ઑલઆઉટ થઇ ગઇ હતી જે પછી ટીમ ઇન્ડિયાને જીત માટે 216 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટાર્ગેટનો પીછો કરવા માટે આવેલી ટીમ ઇન્ડિયાએ 32.1 ઑવરમાં 2 વિકેટ ગુમાવીને 219 રન કરી લીધા અને આ 8 વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી. ટીમ ઇન્ડિયએ છેલ્લી વનડે જીતીને સીરિઝ 2-1થી જીતી લીધી.
ટાર્ગેટનો પીછો કરવા આવેલી ટીમ ઇન્ડિયામાંથી શિખર ધવને 100* રન કર્યા જ્યારે શ્રેયસ અય્યર 65 રન બનાવ્યા હતા. જ્યારે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ 2 અને જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે શ્રીલંકા તરફથી ઉપુલ થંરગાએ સૌથી વધારે 95 રન અને સદીરા સમરવિક્રમાએ 42 રન કર્યા હતા.. જ્યારે કેપ્ટન એન્જલો મેથ્યૂઝે 17 રન કર્યા હતા.